April 24th 2017

પાવન પકડ

..Image result for કૃપા પરમાત્મા..
            .પાવન પકડ

તાઃ૨૪/૪/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માનવદેહ એ કૃપા પરમાત્માની,જે અવનીના આગમને દેખાય
પાવનરાહ પકડીને જીવતા,જીવને મળેલ જન્મસફળ કરી જાય
.....નિર્મળ ભાવથીજ ભક્તિ કરતા,પાવનકર્મ જીવનમાં મળી જાય.
મનથી કરેલ શ્રધ્ધાએ ભક્તિ,જીવનમાં પવિત્ર રાહ થઈ જાય
નામોહ કે માયાનાબંધન સ્પર્શેદેહને,એજ પાવનપકડ કહેવાય
સ્પર્શે માનવીઓને આ કર્મ,જે અનેક જીવોને સુખ દઈ જાય
મળે જલાસાંઇની કૃપા જીવને,મળેલ જગતના સંબંધે સમજાય
.....નિર્મળ ભાવથીજ ભક્તિ કરતા,પાવનકર્મ જીવનમાં મળી જાય.
કુદરતની પવિત્રદ્રષ્ટિ પડે દેહપર,જે સમયની રાહ મળતા દેખાય
પરમાત્માની એજ લીલા,જે દેહને મળતા અનુભવે સમજાઈજાય
મળેલદેહની મહેંકપ્રસરે અવનીએ,જે નિખાલસ જીવનથી કરાય
કર્મ એજ છે જીવનાબંધન,જગતમાં આવનજાવનને સ્પર્શી જાય
.....નિર્મળ ભાવથીજ ભક્તિ કરતા,પાવનકર્મ જીવનમાં મળી જાય.
===================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment