February 14th 2021

સાગર ભક્તિનો

**Image result for સાગર ભક્તિનો**

.           .સાગર ભક્તિનો

તાઃ૧૪/૨/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અનેકદેહથી જીવને જન્મ મળે અવનીપર,જે થયેલ કર્મથી મેળવાય
અવનીપરનુ આવનજાવન એજ લીલા,એ જીવને સંબંધ આપી જાય
....જગતમાં પવિત્રભુમીજ ભારત છે,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી આવી જાય.
મળેલ માનવદેહને પવિત્રરાહમળે,જે પવિત્રધરતીપર કૃપાથી મેળવાય
પાવનકૃપા થઈ પરમાત્માની,એમાનવદેહને ભક્તિસાગરથી દોરી જાય 
અનેકદેહથી આગમન થતા પરમાત્માનુ,અનેક મંદીરમાં પુંજન કરાય
ભારતની પવિત્રભુમીમાં ભક્તિ મળે,જે મળેલદેહનુ કલ્યાણ કરી જાય
....જગતમાં પવિત્રભુમીજ ભારત છે,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી આવી જાય.
માનવદેહને શ્રધ્ધાભક્તિથી જીવતા,દેહના જીવને મુક્તિરાહ મળી જાય
પવિત્રકૃપા મળે મળેલદેહને,જે જીવનમાં પવિત્રશાંંતિ પણ આપી જાય
અનેક પવિત્ર મંદીર થયા શ્રધ્ધાથી,જ્યાં ભક્તિની પાવનરાહ મેળવાય
ધર્મ અને કર્મનો સંબંધ છે સમયથી,જે મળેલદેહને સદમાર્ગે લઈ જાય
....જગતમાં પવિત્રભુમીજ ભારત છે,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી આવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment