December 29th 2021
. પવિત્ર માનવદેહ
તાઃ૨૯/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં સંબંધ જીવને પ્રભુની કૃપાએ મળે,જે સમયની સાથેજ લઈ જાય
પવિત્ર પ્રેરણાએ જીવને માનવદેહ મળે,જે બીજા અનેકદેહથી બચાવીજાય
.....એ કૃપા પરમાત્માની મળે જીવને,જે ગતજન્મના દેહને પાવનરાહે દોરી જાય.
ભગવાનના અનેકદેહથી ભારતદેશમાં,અનેક પવિત્રદેવદેવીઓથી જન્મી જાય
મળેલદેહના જીવને પરમાત્માની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાની પવિત્રરાહ પકડાય
પવિત્રરાહ મળે જીવના દેહને સમયેજ મળે,એ નિખાલસ ભાવનાથી જીવાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપથી પરમાત્માની પુંજા કરાય,સંગે વંદનપણ કરાય
.....એ કૃપા પરમાત્માની મળે જીવને,જે ગતજન્મના દેહને પાવનરાહે દોરી જાય.
મળેલમાનવદેહને લાગણી માગણીને દુર રાખી,જીવનમાં પુંજાકરી ભક્તિકરાય
પરમાત્માની પાવનકુપા મળે જીવનમાં,એ મળેલ માનવદેહને સમયેજ સમજાય
જીવને અવનીપર આગમન થાય,જે પ્રાણીપશુજાનવરપક્ષી અને માનવદેહમળે
માનવદેહ એ પ્રભુની કૃપાએજ મળે,અંતે જીવને જન્મમરણથી મુક્તિ દઈજાય
.....એ કૃપા પરમાત્માની મળે જીવને,જે ગતજન્મના દેહને પાવનરાહે દોરી જાય.
##################################################################
No comments yet.