November 1st 2022

સમયે પ્રેમપકડજો

***ભજન | મન નો વિશ્વાસ | પૃષ્ઠ 9***
            સમયે પ્રેમપકડજો 

તાઃ૧/૧૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ       

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે જીવને મળેલદેહને સમયે સમજણ આપી જાય
પ્રભુનીકૃપાએ જીવન સમયેમાનવદેહ મળે,એ દેહને જીવનમાં કર્મથી અનુભવ થાય
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય.
ભગવાનની પાવનકૃપા જગતપર,જે જીવને સમયની સાથે ચલાવી રાહ આપી જાય
અનેકદેહથી જીવનુ સમયેજ આગમન થાય,પ્ર્ભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
જીવને પ્રાણીપશુજાનવર સંગે પક્ષીથી દેહમળે,નાકોઇજ સમયની સમજણ મેળવાય 
માનવદેહ એ પરમાત્માનીકૃપા જીવપર,જે મળેલદેહને માનવતાની મહૅંક મળી જાય 
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય.
જગતમાં નાકોઇ આજકાલને પકડીશકે જીવનમાં,કે નાકોઇથી સમયથી દુર રહેવાય 
અદભુતલીલા કુદરતની જગતપરથાય,એ મળેલમાનવદેહને પ્રભુકૃપાએ સમયે સમજાય 
નાકોઇ દેહ્થી જીવનમાં સમયથી દુર રહેવાય,કે ના કદીય કોઇથી સમયને છોડાય
મળેલદેહને શ્રધ્ધાએ પાવનરાહમળે જીવનમાં,જે દેહને સમયની સાથેજ ચલાવીજાય
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય.
###################################################################