October 11th 2023

પ્રેમની પવિત્રરાહ

**********
.            પ્રેમની પવિત્રરાહ

તાઃ૧૧/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,જે અનેકરાહે દેહને પવિત્રપ્રેમ આપી જાય
જીવને જન્મથી પ્રભુની કૃપાએ સમયેપ્રેમ મળીજાય,નાઆશા અપેક્ષા કદી અડી જાય
.....મળેલ માનવદેહને જીવનમાં સમયે પ્રેમમળે,જ પરમાત્માની કૃપાએજ અનુભવ થઇ જાય.
અવનીપર સમયે જીવનેજન્મથી માનવદેહમળે,એ ગતજન્મના દેહનાકર્મથીજ મળીજાય
પવિત્રકૃપા ભગવાનની જે જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાય આપી જાય
પરમાત્માની પાવનકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જે જીવને પ્રભુની પ્રેરણા મળતીજાય
ભારતદેશમાં હિંદુધર્મમાં અનેક પવિત્રદેહથી,ભગવાન ભારતદેશથી ભક્તિકરવાપ્રેરીજાય
.....મળેલ માનવદેહને જીવનમાં સમયે પ્રેમમળે,જ પરમાત્માની કૃપાએજ અનુભવ થઇ જાય.
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધો ભારતમાં,એ મળેલ માનવદેહને સમયે સમજાય
જગતમાં જીવને માનવદેહથી જન્મ મળતા,મળેલદેહને સમયનીસાથે ચાલવા પ્રેરણામળે
જન્મથી મળેલદેહને સમયનોસાથ મળે,જે દેહને બાળપણજુવાનીઅને ઘેડપણ મળીજાય
નાકોઇ દેહથી સમયથી દુર રહેવાય જીવનમાં,પ્રભુનીકૃપાએ શ્રધ્ધાથી ભક્તિ થઈ જાય
.....મળેલ માનવદેહને જીવનમાં સમયે પ્રેમમળે,જ પરમાત્માની કૃપાએજ અનુભવ થઇ જાય.
#########################################################################