November 9th 2022
******
. મળે પવિત્ર રાહ
તાઃ૯/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજાય
જગતમાં જીવને જન્મથી આગમનવિદાય મળીજાય,જે મળેલદેહને કર્મ કરાવી જાય
.....જગતમાં અજબકૃપા ભગવાનનીજ કહેવાય,એ જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
મળેલ માનવદેહ એ જીવપર પ્રભુનીકૃપા થાય,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
અજબકૃપા ભગવાનની થાય એ મળેલદેહને,જીવનમાંપવિત્રરાહે જીવન જીવાડી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે મળેલદેહનાજીવને મુક્તિઆપીજાય
અવનીપરના દેહને ભગવાનની કૃપાએ,જીવનમાં પવિત્ર કર્મની રાહ સમયે મળીજાય
.....જગતમાં અજબકૃપા ભગવાનનીજ કહેવાય,એ જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
અદભુતલીલા જગતમાં સમયે દેહને સમજાય,જીવનમાં નાકદી કોઇ અપેક્ષા અડીજાય
પવિત્રરાહ જીવને મળે જે પરમાત્માની પાવનકૃપાએ,જીવનાદેહને સમયે સમજાઈજાય
કુદરતની અદભુતકૃપામળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાવીજાય
પરમાત્માને ધુપદીપ પ્રગટાવી ઘરમાંજ આરતી કરી,મળેલદેહથીજ પ્રભુને વંદન કરાય
.....જગતમાં અજબકૃપા ભગવાનનીજ કહેવાય,એ જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
No comments yet.