September 15th 2008

પ્રેમાલીંગન

…………..              પ્રેમાલીંગન

તાઃ૨૬/૮/૧૯૭૫ ……..               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવનમાં પ્રેમ કદી નવ પામ્યો
 …………….. જગતમાં અહીં તહીં ભટકાયો
 …………………………………જીવનમાં પ્રેમ  કદી 

પ્રેમ થતો અંતરમાં તે પર,જ્યારથી ગાંઠે બંધાયો
સમાજની આ વિધિ પતાવી અંતે કિનારે આવ્યો
…….                           ………..જીવનમાં પ્રેમ કદી 

આવ્યો જ્યારે ભવસાગરના શીતળ શાંત કિનારે
પામ્યો નહીં હું પ્રેમાલીંગન દુર તેથી હું ખોવાણો
 …………………………… ……….જીવનમાં પ્રેમ કદી 

સાગરમાં જેમ મીન તરસે તેમ હું પણ તરસતો
મને મળી તુ દેતી સહારો,જીવન જીવવા જાગ્યો
 ……                           ………..જીવનમાં પ્રેમ કદી

આશ જીવનમાં હતી ત્યારે જીવનજીવવા રોકાણો
સાથ મનેમળે જીવનમાં આનંદાલીંગન જીવીજાશું 
 …………………………… ……….જીવનમાં પ્રેમ કદી  

——————————————————      

September 15th 2008

પીંધા જાણી જાણી

 ………………….   પીંધા જાણી જાણી

તાઃ૧/૬/૧૯૭૫ ……………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યાં સુધી મારુ મનડું ના માને
             મેં તો પીધા છે જાણી જાણી…..જ્યાં સુધી

કરમ લખેલા કોણે જાણ્યા….(૨)
  કીધા છે એણે મુજથી ય અળગા
કહ્યુ ના કેમ માને ,આ મારુ મનડું રે………..જ્યાં સુધી

તમને દીધેલા વચનો જ પાળ્યા
  કરશો તમે તોય દીલ પર પડદો
ગમેતેમ ના કહેશો આ મોહ્યું મનડું રે………..જ્યાં સુધી

દીવસ અને રાતન વૅણ જુદા છે
  ક્યાંથી એ મળશે મન કહે મારું
જોયુ જેમ જાણ્યું છે કરમ માણીશુ રે………….જ્યાં સુધી

  1. _________________________________________
September 15th 2008

કામિની

……………………….      કામિની

તાઃ૨૫/૮/૧૯૭૪ …………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગની શોભા કોને વારી જાય
             આંખોને આનંદ આપતી આ સૃષ્ટિ
ફુલો ધરેલી આ લતા ક્યાંથી?
આરાધના બની છે આ કામિનીની……..જગની શોભા

કેસુડાના ફુલોને હું નીરખી રહુ
                 ભમરાના ગુંજનને હું ગણગણું
ગુલાબની આ પાંખડીઓ પીખી રહું
પુષ્પની ગુણલતા છે કલા કામિનીની…….જગની શોભા

માનવીના દેહને જગમાં લાવી દે છે
               કામદેવની રચાયેલી આ કામિની
કોના લખ્યા ક્યાં લેખ કેમ કહું
લીલા અપરંપાર છે આ કામિનીની……..જગની શોભા

============================================

September 15th 2008

મા ભોમને કાજે

 ………..                     મા ભોમને કાજે

તાઃ૨૬/૧/ ૧૯૭૪(૨૬મી જાન્યુઆરી,૧૯૭૪)પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરજે તારા કામ તું મા ભોમને કાજે
               બનજે તુ તલવાર આ વ્હેણની સાથે
………………………………………….કરજે તારા કામ તું

શીતળ બનીને આ જન્મ બરબાદ ના કરતું
……….  કોના કોના કામ કીધા તેં પુણ્યાતું ભરી લેજે
નારા તારા થાય તોય મદદગાર તું બનજે
……….  અમર થાશે કામ તારા નામની ચિંતા છોડજે
…………………………………………….કરજે તારા કામ તું

ગાંધી, નહેરુ, લાલ બહાદુર વીર પુત્ર સમાન
………..  બલિદાનની અમર વેદીપર બની તું નિરાકાર
કરજે માનવની તુ ઇજ્જત ફરજથી બળવાન
 …………. સૈન્યો એકે એક છીએ,દુશ્મન ને દઇ પડકાર
……………………………………………….કરજે તારા કામ તું

હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ જાત હિન્દુસ્તાન
 …………. મારુ તારુ કરજે કાલે આજે થઇ જા તુ તૈયાર
ગગન ભેદી રણશીંગુ વાગી કરે તને પોકાર
…………. ઉઠોજાગો છોડોનીંદ્રા થયો દેશપર કારમોવાર
………………………………………………….કરજે તારા કામ તું

—————————————————–

September 15th 2008

માની જાને

 ………… …………માની જાને

૨૧/૧/૧૯૭૪ …………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારી વ્હાલી તુ માની જાને
…………….    મારી સાથે તું લાગી જાને
તારો સાથ નિભાવીશ હું
..                 જીવનભરનાઆવે કોઇદુઃખ
                      ……….મારી વાત તું માની જાને

બાગને ખેતર બહું ફર્યા, હવે આવી લેને મારી કૅર
……..   લાવીશ તને હું માંડવેથી, થોડા દીવસમાંમારે ઘેર
તારી ચાલ ના ભુલ્યો ને યાદ હજુ છે તારા નખરા
………   ડગલું માંડું કે ના લફરુ શોધું મળી મને તું અસલી
                              ………મારી વાત તું માની જાને

પરણુ પરણુ કરતાં કરતાં વીત્યો કેટલો મારો ટેમ
………….  દહાડાવીત્યા મહીનાઓવીત્યા વીત્યાવરસો અનેક
ના કોઇ સાઇન મળી કે ના મળી કોઇ લીલી ઝંડી
……….     વિચાર કરતાં રહી જશો નહી મળે મારી કોઇ વીંટીં
                              ……….હું કેવી રીતે માનુ તમારી 

###########################################                            

September 15th 2008

जीवन नैया

   ……………………..   जीवन नैया

ताः२३-७-१९७२………………… प्रदीप ब्रह्मभट्ट

हे राम हे कृष्ण, मेरी ये तृष्णा
जीवननैया पार लगा दो, बीन दुःख हैये चैन
 ………………………………….   ……..हे राम हे कृष्ण
तुमरे बीननहीं और खिवैया,बीन लागेनहीं चैन
आती जाती हर सांसोमे, तुमरे बीनमेरा कौन
……….                              ……..हे राम हे कृष्ण
बीच सागरमें डोले नैया, सुखदुःख देखे नैन
संसारके चक्कर में, डोले जीवनकी ये नैया
 ………..                           ……..हे राम हे कृष्ण
कौनसे मेरेदोष थेजीसने जीवनआज दीलाया
ना कोइ तो कामथा मेरा जो जीवन बहेकादे
…………                             …….हे राम हे कृष्ण
तुमसेआके मागुंमैतो जीवनमें नारहेकोइ व्हेम
परदीप बनके दीप जलाउ, मीले जीवनमे प्रेम
…………                            ……..हे राम हे कृष्ण

श्रीराम श्रीकृष्ण श्रीराम श्रीकृष्ण  श्रीराम  श्रीकृष्ण

September 12th 2008

ભાવના

……………………  ભાવના

તાઃ૧૨/૯/૨૦૦૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગણી જીવને વળગીચાલે ના તેમાં કોઇ મેખ
સાચી ભાવના પ્રેમમાં મળતી  ના છે તેમાં દ્વેષ

સાચુ સગપણ માબાપનું જ્યાં સંતાનસ્નેહ મળે
માતાપિતાની મળે કૃપા ત્યાં નાજીવને કોઇભુખ

અંતરમાંજ્યાંઉભરાય હેત ત્યાંમહેંકમનડાને મળે
અનંતનાઓવારે આવતા ઉજ્વળ જીવનછે દીસે

ભાઇબહેનના પ્રેમમાં અંતરના ઉભરાય સદા હેત
વ્હાલુ જગનુ આ બંધન જ્યાં સદા વહે છે પ્રેમ

ના સ્વાર્થનો અણસાર કે ના કદી દીસે કોઇ મોહ
ભાવના સાચી સ્નેહની જ્યાં ના બીજો કોઇ સાર

જીવની જ્યોત સદા મહેંકતી ને વહે હૈયાથી હેત
મહેંક પ્રસરે જગમાં જ્યાં માબાપનો મળે પ્રેમ

મહેંક પ્રસરતીજીવે જ્યાંદીપે ભાઇબહેનનો સ્નેહ
મળશે માનવતા ને પ્રેમ જ્યાં ભાવનાછે સાચી

———————————————

September 12th 2008

વાવાઝોડુ

 …………………..વાવાઝોડુ

તાઃ૧૨/૯/૨૦૦૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાહ વાહ કરતા હોય ત્યાં પડે પવનદેવની ઝાપટ
ના ચાલે કોઇનું જગતમાં હોય અમેરીકા કે ભારત

ઉંઘના આવે ના ચૈન પડે કે ના કરે અહીં કોઇ કામ
ધરમાં ભરાઇ રહેવું યાનાસી જવું નેલેવું પ્રભુનુંનામ
અલખનો  આ એક સપાટો કરી દે જનજીવન હરામ
ના કોઇ ચિંતા જગમાં તેને સ્મરણ કરે જે જલારામ
….                                  ……વાહ વાહ કરતાં 

ટીવી ચાલે ચોવીસ કલાક,ને વેધર લોકો જોયા કરે
ગેસ ભરો ને રાશન ભરો,નહીં તો ભુખ્યા રહો આજ
ના મંદીર,મસ્જીદ,ચર્ચ જતાં જ્યાં સાભળે સમાચાર 
આવે વાવાઝોડું જ્યાં માનવમન જ્યાં ત્યાં ભટકાય
……..                            …….વાહ વાહ કરતાં

 ++++++++++++++++++++++++++++++++++++++++++

September 9th 2008

ઘરની બારીએથી

                      ઘરની બારીએથી

તાઃ૮/૯/૨૦૦૮ ………………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની કલા નિરાલી, ને ભક્તિનો સહવાસ
મનનીમાનવતા મઝાની,જ્યાંત્યાં કરે વિશ્વાસ
………………………………..કુદરત ની કલા નિરાળી

સાંજ પડે ત્યાં સવાર પડે,જન જીવન ફુલેફલે
સુરજના કિરણો દીપે, ઘરની બારી જ્યાં ખુલે
………………………………..કુદરત ની કલા નિરાળી

વાતો વાયરો મહેંક ધરે, શ્વાસે શ્વાસે ઉમંગ ભરે
માનવમહેંરામણ મલકાય,નેપ્રભાતે પુષ્પ છવાય
………………………………….કુદરતની કલા નિરાળી

પંખી કલરવ જ્યાં કરે, વાદળ કાળા વિદાય લે
આગમન સૃષ્ટિનાદીસે,જ્યાં ઘરનીબારીઓ ખુલે
………………………………….કુદરતની કલા નિરાળી

ખળખળ નીર નદીના, ને પનીહારીઓ ઘડા ભરે
સંસાર તૃપ્ત કરવા નારી, બેંડલા આજે શીરે ધરે
………………………………….કુદરતની કલા નિરાળી

 #######################################

September 8th 2008

કેવી રીતે માનું

.                       કેવી રીતે માનું

તાઃ૭/૯/૨૦૦૮ ……………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

મલ્યા હતા મને ગઇકાલે પ્રેમથી ખભો મિલાવી
મુખડુ આનંદે મલકાતુ ને હેત હૈયે થી ઉભરાતુ

ના કદી મુખપર મેંજોયું ઉદાસીનું એક તણખલું
મળતા જ્યારે હસતા જોતો ના દુઃખની  નિશાની

હામ હંમેશા પ્રેમે દેતા ને હિંમત રાખવાનુ કહેતા
ના જીવનની વ્યાધીથી ડરવું પ્રેમ પ્રભુથી કરવો

માગ જગતથી કરવી નાકંઇ પરમપિતાને ભજવા
શક્તિ છે ભક્તિમાં રહેલી ના જેની જગતમાંસીમા

દુઃખ સાગરમાં ડુબ્યા હતા એ ના અણસાર દીધો
આખરી મિલન હતું અમારું  હું મનથી એના માનુ

સદા હસેને લાગણીદેતા મારા હૈયે ગયાતા વસી
ફાની દુનીયાને છોડીનેલીધી પ્રભુચરણની ભક્તિ

અંત જગતમાં નાજાણેકોઇ મુક્તિ ભક્તિથીમળતી
શરણુ લીધુ  સંત જલાસાંઇનુ ને તેમાં મતી દીધી

=================================

« Previous PageNext Page »