January 23rd 2010

જીવની અપેક્ષા

                                  જીવની અપેક્ષા

તાઃ૨૨/૧/૨૦૧૦                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

      પરમાત્માની અસીમ કૃપા થતાં આ જીવને કર્મના બંધન થકી
માનવ જન્મ મળ્યો છે.જે  સાર્થક કરવા સામાન્ય માનવી
પૃથ્વી પર અપેક્ષા રાખે છે……..

*જગતપર દેહ દેનાર માબાપનો હંમેશાં સંતાન પ્રેમ મળે.

*જન્મ સાર્થક કરવા મા તરફથી સંસ્કાર મળે અને પિતા તરફથી
જીવન જીવવાની સાચી કેડી અને મહેનતનુ માર્ગ દર્શન મળે.
*ગુરુજી તરફથી જીવનની સફળતાનો પાયો મળે જે જીવન ઉજ્વળ કરે.
*સંતના આશીર્વાદ મળે જે ભક્તિમય જીવન દઇને જીવ પર પ્રભુકૃપા થાય
*મોહ માયાના બંધન છોડવા પરમાત્માની કૃપા મળે.
*શ્રધ્ધાથી જીવન જીવવામાં પત્નીનો પણ સાથ મળે.
*સત કર્મમાં પત્ની અને સંતાનોનો સહવાસ મળે.
*જન્મ મરણના બંધનથી મુક્તિ મેળવવા પરમાત્માનો સાથ મળે.
અને…….
*જે ધરતી પર જન્મ મળ્યો છે તે ધરતી પર દેહનો ત્યાગ થાય તેવી
પરમાત્મા કૃપા કરે.

=====================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment