નિરાળી ભક્તિ
નિરાળી ભક્તિ
તાઃ૩/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભુની ભક્તિ,મળે છે શક્તિ
પ્રભુની ભક્તિ નિરાળી,જીવેમળે છે શક્તિ ન્યારી
કરેલા કર્મો,સંગે વહે છે
કરેલા સતકર્મો જીવનમાં,ગંગા જેમ સંગે વહે છે.
………પ્રભુની ભક્તિ નિરાળી.
મોહ માયા છે જગતમાં સૃષ્ટિ પ્રભુની
મળેલી મમતા માની જીવને જકડી ચાલે
છુટે ના તનમનથી એ,જન્મથી દેહે વળગે
જલાસાંઇની જ્યોત જ્યાંછે,લાગે સાર્થકજીવન ત્યાંછે.
………….પ્રભુની ભક્તિ નિરાળી.
મુક્તિ ના દે માનવી જીવને
મિથ્યા આપે માળા,જ્યાં દર્શન માટે માનવ તરસે
શ્રધ્ધાસાથે જીવચાલે,નાવ્યાધી જગમાં કોઇ આવે
મુક્તિ દ્વાર પ્રભુ ખોલી આવે,સંગે સાથે કરુણા લાવે
……….પ્રભુની ભક્તિ નિરાળી.
++++++++++++++++++++++++++++++++