શરણુ ભક્તિનુ
શરણુ ભક્તિનુ
તાઃ૧૪/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવની પરના આગમને,જગતમાં ઝંઝટ દેખાઇ ગઇ
શરણુ ભક્તિનુ જ્યાંલીધુ,જીવનમાં શાંન્તિ આવીગઇ
……….અવની પરના આગમને.
કર્મતણા બંધન ના છુટે,કુદરતની અસીમ લીલા થઇ
દેહને ધારણ કરતા જીવની,જગતપર કસોટી શરૂ થઇ
વ્યાધીઓના વમળમાં જ રહેતા,ના રસ્તા દેખાય કોઇ
અંતનીવેળા નજીકઆવતાં,ભક્તિની સાંકળ મળીનહીં
………..અવની પરના આગમને.
મોહમાયા તો લીલાપ્રભુની,જે જીવનેજકડી રાખે અહીં
નાછુટેએ દેખાવ કેદમડીથી,છુટે એતો સાચી ભક્તિથી
મનથીકરતાં ભક્તિપ્રભુની,મળેદ્રષ્ટિ ત્યાંસાચા સંતોની
જલાસાંઇની પ્રેરણાસાચી,ત્યાંમળે સાચુ શરણુ ભક્તિનુ
…………અવની પરના આગમને.
=============================