June 25th 2010

વિચાર ધારા

                       વિચાર ધારા

તાઃ૨૫/૬/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી ભક્તિ કરી તુ લેજે
જીવની શાંન્તિ મેળવી લેજે

                      સ્વાર્થ સ્નેહને મુકી દેજે
                      સાંકળ મોહની તોડી દેજે

ભક્તિ જ્યોત તુ સમજી લેજે
સાર્થક જીવન કરી તુ લેજે

                      સંતાન નો સહવાસ મેળવી
                      પાવન જીવન પામી લેજે

કરજે પ્રેમ ને લેજે પ્રેમ
જીવન તારુ રહેશે હેમખેમ

                      લાગણી માયા ને મોહ છોડી
                      જીવનને લેજે ભક્તિથી જોડી 

માગણી કરજે મનથી પ્રભુથી
આંગણે આવે પ્રભુ ખુશીથી

                     પ્રદીપને પ્રેમ સાચી ભક્તિથી
                   રમા,રવિ,દીપલ સંગે જલાસાંઇથી

+++++++==========+++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment