માળાનો મણકો
માળાનો મણકો
તાઃ૨૭/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતના કારોબારમાં જગે,ના કોઇથીય છટકાય
સરળતાનો સહવાસ મળે,ત્યાં અસર ઓછીથાય
………..કુદરતના કારોબારમાં જગે.
માની લેતુ મન માનવીનુ,જ્યાં ના કશુ સમજાય
સરળ દેખાતો સહવાસ દેહને,ગેર માર્ગે લઇ જાય
જેમ મણકા માળાના જોતાં,સરખા બધાજ દેખાય
કયા મણકાનો કયો મંત્ર,એ સમજતાં અસર થાય
……….કુદરતના કારોબારમાં જગે.
દેહ દીસે માનવીનોઆંખે,ના તેના મનને પરખાય
સમયે પકડે હાથ તમારો,એ સહારો સાચો કહેવાય
અજબલીલા અવિનાશીની,ઉજ્વળ સ્નેહે મેળવાય
સ્વર્ગની સીડી મળી જાય,જ્યાંમણકો પકડાઇ જાય
………..કુદરતના કારોબારમાં જગે.
+++++++++++++++++++++++++++++++