આરામ
આરામ
તાઃ૨૫/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની કમાલ જગતમાં,જન્મે જીવને ના સમજાય
અણસારની એક લકીર ના જોતાં,માનવમન ભટકાય
………..એજ કુદરતની કરામત કહેવાય.
દેહ નાનો મળે જન્મથી જ,પણ જીવનો ના કોઇ સંકેત
બંધનમળે જગમાં જીવને,એ મળતાનથી જીવે માગેલ
સુખ શાંન્તિ એ મળે બંધને,ના તેમાં કરી શકે કોઇ ફેર
જીવનચાલે કર્મબંધને,કુદરતી ન્યાયમાં નાછે કોઇ ભેદ
………..એજ કુદરતની કરામત કહેવાય.
મહેનત મનથી સાચી કરતાં,મળી જાય દેહને સંતોષ
જુવાનીને સાચવીચાલતાં,માનવીને બધુ જ સમજાય
ધડપણના બારણે આવતાંતો,દેહને આરામ મળીજાય
ઉજ્વળતા તો આવી બારણે,આ જન્મ સફળ કરી જાય
…………એજ કુદરતની કરામત કહેવાય.
================================