કર્મની પકડ
. કર્મની પકડ
તાઃ૯/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પકડી ચાલતા પાવનકર્મ,મનમંદીર ખુલી જાય
પરમાત્માની દ્રષ્ટિ પડતાં,જન્મ સફળ થઈ જાય
. ……………પકડી ચાલતા પાવન કર્મ.
કીર્તન ભક્તિ સહજ ભાવના,માળાથી મહેંકી જાય
મનથી કરેલ પ્રભુ ભક્તિ જ,જીવને એ તારી જાય
મોહમાયાના બંધન છુટતાં,માનવી મન હરખાય
આવીપ્રેમ મળે જલાસાંઇનો,આજન્મ સાર્થક થાય
. …………પકડી ચાલતા પાવન કર્મ.
ભક્તિની આ સાંકળ ન્યારી,ના કોઇનેય જકડી જાય
પ્રભુ કૃપાને પામવા કાજે,જીવ એને પકડવાને જાય
મળી જાય એક કડી જીવને,ભટકતો દેહ અટકી જાય
મળે મુક્તિ માગતા દેહે,આમાનવ જન્મ મહેંકી જાય
. ………….પકડી ચાલતા પાવન કર્મ.
================================