September 9th 2011

કર્મની પકડ

.               કર્મની પકડ

તાઃ૯/૯/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પકડી ચાલતા પાવનકર્મ,મનમંદીર ખુલી જાય
પરમાત્માની દ્રષ્ટિ પડતાં,જન્મ સફળ થઈ જાય
.                 ……………પકડી ચાલતા પાવન કર્મ.
કીર્તન ભક્તિ સહજ ભાવના,માળાથી મહેંકી જાય
મનથી કરેલ પ્રભુ ભક્તિ જ,જીવને એ તારી જાય
મોહમાયાના બંધન છુટતાં,માનવી મન હરખાય
આવીપ્રેમ મળે જલાસાંઇનો,આજન્મ સાર્થક થાય
.                     …………પકડી ચાલતા પાવન કર્મ.
ભક્તિની આ સાંકળ ન્યારી,ના કોઇનેય જકડી જાય
પ્રભુ કૃપાને પામવા કાજે,જીવ એને પકડવાને જાય
મળી જાય એક કડી જીવને,ભટકતો દેહ અટકી જાય
મળે મુક્તિ માગતા દેહે,આમાનવ જન્મ મહેંકી જાય
.                     ………….પકડી ચાલતા પાવન કર્મ.

================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment