September 15th 2011

મતિની શોધ

.               મતિની શોધ

તાઃ૧૫/૯/૨૦૧૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવી મનને નારહે ક્ષોભ,જ્યાં મળે જીવને મતિની શોધ
રાહ જીવનની સાચીજ છે એક,મળે જીવનમાં ભક્તિની ટેક
.                            …………..માનવી મનને ના રહે ક્ષોભ.
ઉદય અસ્ત એ છે કુદરતનો ક્રમ,ના જગતમાં તેનો છે ભ્રમ
સમજદારના સરળજીવનમાં,નાઆધી વ્યાધી રહે અંતરમાં
લાગણી શોક ને મોહમાયાથી,મુક્ત થશેઆ મળેલ કાયાથી
પ્રભુ પ્રેમનીવર્ષા વરસી આજે,મુક્તિ રહેશે એ જીવની સાથે
.                             …………..માનવી મનને ના રહે ક્ષોભ.
જન્મ મરણ તો જીવને જ વળગે,ના જીવ કોઇ તેનાથી છટકે
ભક્તિ કેરી દોર પકડતાં જન્મે,પ્રભુ કૃપા લાવે ભક્તિ જ સંગે
મતિની શોધ જીવનમાં ન્યારી, જીવને એ છે શાંન્તિ દેનારી
સંત જલાસાંઇની રાહ નિરાળી,ભક્તિ માર્ગ સાચો આપનારી
.                             …………..માનવી મનને ના રહે ક્ષોભ.

======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment