ઝંઝટ વળગી
. ઝંઝટ વળગી
તાઃ૨૫/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક્યાંથી આવી ને ક્યારે વળગી,નાકોઇ જીવને સમજાય
સકળ જગતમાં કૃપા પ્રભુની,જે ઝંઝટથી છોડાવી જાય
. …………..ક્યાંથી આવી ને ક્યારે વળગી.
માર્ગ મળે જીવને કળીયુગમાં,જે સૌને જકડીને જ જાય
આધીવ્યાધી આંગણેઆવી,જીંદગીમાં સોટી મારીજાય
કરેલ કામની ગતી નિરાળી,જે જીવનમાં પરખાઇ જાય
સાચી શ્રધ્ધા એ જ્યોત જીવનની,ઝંઝટને ભગાવી જાય
. …………..ક્યાંથી આવી ને ક્યારે વળગી.
એકલ દોકલ જ્યાં જીવન લાગે,ત્યાં માનવીમન ભટકાય
આશા અપેક્ષા નેવે મુકતાં,દેહને અતુટ શાંન્તિ મળી જાય
માગણી એક પરમાત્માથી કરતાં,સ્વર્ગની સાંકળ દેખાય
આવી દેહને કૃપા મળતાં,સંત જલા સાંઇની ભક્તિ થાય
. ……………ક્યાંથી આવી ને ક્યારે વળગી.
==================================