April 14th 2017
. .પ્રેમનો સહવાસ
તાઃ૧૪/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનનો સંબંધ જગતમાં,જીવને દેહ મળતાજ સમજાઈ જાય
કર્મની કેડી એ પાવનરાહ કર્મની,જે જન્મમરણથીજ મેળવાય
......મળે જીવને પ્રેમનો સહવાસ.જ્યાં પરમાત્માની પાવનકૃપા થાય.
અવનીપરનુ આગમનએ જગતપિતાની માયા,નાકોઇથી છોડાય
મળે દેહ જગતપર જીવને,જે અનેક સંબંધથીજ સમજાઈ જાય
માનવદેહએ બને જીવનનીજ્યોત,જ્યાં પવિત્રરાહ સંગે જીવાય
મળે નિર્મળ પ્રેમનો સહવાસ,શ્રધ્ધાનો સંગ રાખીને પુંજા થાય
......મળે જીવને પ્રેમનો સહવાસ.જ્યાં પરમાત્માની પાવનકૃપા થાય.
માગણીજીવની નાછોડાય કોઇથી,જે મળેલદેહની પ્રીત કહેવાય
કુદરતનીકેડીને નાપારખી શકે કોઇ,કે નાકોઇથીએ દુર રહેવાય
એઅજબલીલા અવિનાશીની,જે પરમાત્માએ લીધેલ દેહે દેખાય
રામકૃષ્ણના સ્વરૂપે આવ્યા અવનીએ,સત્કર્મનેએ સમજાઇ જાય
......મળે જીવને પ્રેમનો સહવાસ.જ્યાં પરમાત્માની પાવનકૃપા થાય.
=====================================================
No comments yet.