April 14th 2017
. .બજરંગી બળવાન
તાઃ૧૪/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી હતા અવનીપર,જે પરમાત્માનેય હરખાઈ જાય
ના જગતમાં તાકાત કોઇની,કે પરમાત્માના દેહનેએ મદદ કરી જાય
......બજરંગ બલીના આગમનથી,શ્રી રામને રાવણની તાકાતથી બચાવાય.
મળેલ દેહ માતાનો અવનીએ,જે સીતાજીના નામથી ઓળખાઇ જાય
પરમ ભાવના સંગેજ રહેતા,રાજા દશરથના કુટુંબમાં એ આવી જાય
પરમાત્મા એ લીધેલ દેહ અયોધ્યામાં,શ્રી રામના નામે જ ઓળખાય
રાજા રામને સાથ આપવા લંકામાં,હનુમાનજીનો જ સાથ મળી થાય
......બજરંગ બલીના આગમનથી,શ્રી રામને રાવણની તાકાતથી બચાવાય.
ગદા પકડીને સરોવર પાર કરી,પર્વતને પણ કુદી માતાને શોધી જાય
રામની પરમકૃપાને પામી બળવાન થયા એ,જે તેમના વર્તનથી દેખાય
ભોલેનાથની નિર્મળભક્તિ કરી,રાવણ અજબ શક્તિશાળી બની જાય
મોહની માયા લાગતા અવનીએ,માતા સીતાજીની તરફએ લટકી જાય
......બજરંગ બલીના આગમનથી,શ્રી રામને રાવણની તાકાતથી બચાવાય.
=======================================================
No comments yet.