April 30th 2017
.કીર્તન
તાઃ૩૦/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કીર્તન એ રતન છે જીવનુ,જીવનમાં સુખસાગર દઈ જાય
કૃપાળુ પ્રેમની થાય વર્ષા,મળેલ માનવજીવન મહેંકી જાય.
......એજ કૃપા પરમાત્માની દેહ પર,મળેલ જન્મ સાર્થક કરી જાય.
નિર્મળ જીવનનો સંગ થઇ જાય,ના મોહમાયા સ્પર્શી જાય
એજ પાવનરાહ છે જીવનમાં,ભક્તિભાવ કીર્તનથી મેળવાય
મનથી કરેલ નિર્મળભક્તિ,જીવને મળેલદેહ સાર્થક કરીજાય
નામાગણી કળીયુગમાં કોઇ,કે ના અપેક્ષાના વાદળ ઘેરાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,મળેલ જન્મ સાર્થક કરી જાય.
જલારામની જ્યોત પ્રગટી,જ્યાં અનેક જીવોને ભોજન દેવાય
વિરબાઈમાની પવિત્ર રાહ હતી,જ્યાં પરમાત્માય ભાગી જાય
સંત સાંઈબાબાની જ્યોતપ્રગટી,જ્યાં માનવજીવન સ્પર્શીજાય
ભેદભાવને છોડીને જીવતા અવનીએ,જન્મ સાર્થક થઈ જાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,મળેલ જન્મ સાર્થક કરી જાય.
==================================================
No comments yet.