September 1st 2020

અજબ શક્તિશાળી

   પ્રદૂષિત સપાટી અથવા પ્રાણીઓથી કોરોના વાયરસ ફેલાતો નથી - Sanj Samachar
.            .અજબ શક્તિશાળી
તાઃ૧/૯/૨૦૨૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી છે અવનીપર,જે કોરોના વાયરસથી ઓળખાય  
તેના અવનીપરના આગમનથીજ,ના જગતમાં કોઇથીય કદી છટકાય
.....એવી અજબલીલા કુદરતની કહેવાય,જેના આગમને કોઇથીય ના દુર રહેવાય.
કોરોના વાયરસની કાતર છે એવી,જે મળેલદેહના જીવનને કાપીજાય
તેના થયેલ આગમને જ જગતપર,થયેલ મંદીરના બારણ બંધ રખાય
ભક્તિનો સાગર માનવીને સવારસાંજ,મંદીર મસ્જીદ ચર્ચમાં લઈ જાય
કોરોનાના આગમનથી સમયના સંગે,ના કોઇથીય અવનીપર છટકાય
.....એવી અજબલીલા કુદરતની કહેવાય,જેના આગમને કોઇથીય ના દુર રહેવાય.
ભક્તિભાવથી જીવન જીવતા માનવીને,સમયે પરમાત્માની પુંજા કરાય
ઘરમાં રહીને શ્રધ્ધાભાવથી પુંજનઅર્ચન કરતા,પવિત્રકૃપા મેળવાઈજાય
મળેલ માનવદેહને સમયસંગે ચાલતા,નાઆફત તકલીફ કોઇ અડીજાય
નિર્મળભાવના એ જીવને પ્રેરણા કરે,જે દેહને સુખસાગામાં ફેરવી જાય
.....એવી અજબલીલા કુદરતની કહેવાય,જેના આગમને કોઇથીય ના દુર રહેવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++