September 21st 2020

કલમપ્રેમી નવીનભાઈ

 =====એક અનુભૂતિઃ એક એહસાસ » 2015 » August=====
.            .કલમપ્રેમી નવીનભાઈ   

તાઃ૨૧/૯/૨૦૨૦     (શ્રધ્ધાજલી)        પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રદેહને રાહ મળી પરમાત્માની,જે જીવને મુક્તિ માર્ગે લઈ જાય
પવિત્રકર્મનો સંગાથ રાખીને જીવનમાં,અનંતકર્મ સમાજના કરી જાય
.....એવા વ્હાલા કલમપ્રેમી નવીનભાઈના જીવને,પરમાત્મા મુક્તિમાર્ગે લઈ જાય.
શ્રધ્ધામાર્ગથી કર્મ કરતા હ્યુસ્ટનમાં,માતા સરસ્વતીનીકૃપા મેળવીજાય
આંગણે આવી કૃપામળે પરમાત્માની,સંત જલાસાંઇનોપ્રેમ મળી જાય
નિર્મળભાવના સંગે જીવનજીવતા,નાકોઇ આફત અભિમાન અડીજાય
મળેલ માનવદેહથી કલમપ્રેમીઓને,પ્રેમ આપી પવિત્રકર્મએ કરી જાય
.....એવા વ્હાલા કલમપ્રેમી નવીનભાઈના જીવને,પરમાત્મા મુક્તિમાર્ગે લઈ જાય.
નિખાલસપ્રેમ મળ્યો સમાજના કાર્યથી,જે મળતા સન્માનથીજ દેખાય
પ્રેમ મળે કલમપ્રેમીઓને,જે કલમની પવિત્રનિખાલસ ભાવના કહેવાય
મળેલ દેહની માનવતા પ્રસરી,એ કલમપ્રેમી નવીનભાઈથી ઓળખાય
સમયની સાંકળ પકડી ચાલતા,જગતમાં એ પવિત્ર કલમપ્રેમી કહેવાય
.....એવા વ્હાલા કલમપ્રેમી નવીનભાઈના જીવને,પરમાત્મા મુક્તિમાર્ગે લઈ જાય.
******************************************************************
   હ્યુસ્ટનમાં સાહિત્ય સરીતાના કલમપ્રેમી શ્રી નવીનભાઈ બેંકરને તાઃ૨૦/૯/૨૦ નારોજ
પરમાત્માએ જીવને દેહથી મુક્તિ આપી તે નીમિત્તે તેમના સગાસંબંધી અને કલમપ્રેમીઓને
જીવનમાં શાંંતિ આપે તેની યાદ નીમિત્તે આ કાવ્ય લખાયેલ છે તે સપ્રેમ ભેંટ.
   લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ સહિત પરમાત્માને પ્રાર્થના.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++