September 10th 2020
.
.
શ્રી સાંઇ
તાઃ૧૦/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા પ્રેમથી વંદન કરતા પવિત્રરાહે,મળેલદેહથી અવનીપર જીવાય
અપેક્ષામોહને જીવનમાં માનવતા સંગે,કદીય ના કોઇથી દુર રહેવાય
.....મળેલ માનવદેહને સદમાર્ગે લઈ જવા,વ્હાલા સાંઇબાબાને પ્રેમથી વંદન થાય.
જન્મલીધો પરમાત્માએ વિવાદ ગામમાં,જે સાંઇબાબાથી ઓળખાય
શેરડી આવી માનવદેહથી ધરતી પાવનકરી,માનવતા મહેંકાવી જાય
ભક્તિમાર્ગની રાહ દીધી માનવીને,જે નાતજાતથીજ દેહને દુર રખાય
જીવને મળેલદેહને પાવનરાહે જીવવા,નિર્મળ ભાવથીજ ભક્તિ કરાય
.....મળેલ માનવદેહને સદમાર્ગે લઈ જવા,વ્હાલા સાંઇબાબાને પ્રેમથી વંદન થાય.
જીવને સંબંધ છે દેહથી અવનીપર,જે અનેકરાહે જીવનેદેહથી સમજાય
મળેલદેહને કર્મઅનેવર્તનથી રાહમળે,જે સુખદુખનો સ્પર્શ કરાવી જાય
જીવને પાવનરાહ મળે દેહથી,જ્યાં દેહ પરમાત્માની પુંજા જ કરીજાય
અવનીપરનુ આગમનવિદાય એકર્મનો સ્પર્શ,બાબાની ભક્તિએ છુટાય
.....મળેલ માનવદેહને સદમાર્ગે લઈ જવા,વ્હાલા સાંઇબાબાને પ્રેમથી વંદન થાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 10th 2020
. શેરડીથી પધારો
તાઃ૧૦/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનપ્રેમની રાહ મળી દેહને,વ્હાલા સંત સાંઈબાબાની કૃપા કહેવાય
શ્રધ્ધાભાવથી પુંજન કરતા જીવનમાં,મળેલદેહને અનંતશાંંતિ મળીજાય
....એવા મારા વ્હાલા સાંઇબાબા પધારો,શ્રી ભોલેનાથની પાવનકૃપાય મળી જાય.
પવિત્રભુમી ભારત છે અવનીપર,જ્યાં પરમાત્મા અનેક દેહ લઈ જાય
નિર્મળભાવથી પુંજન કરતા દેહને,મળેલ દેહની માનવતા પ્રસરી જાય
શેરડીમાં પધાર્યા સાંઈબાબા,જેમને દ્વારકામાઈનીજ પ્રેરણા મળી જાય
મળેલ માનવદેહથી પ્રેરણા કરી મનુષ્યને,જે શ્રધ્ધાસબુરીને સમજાવાય
....એવા મારા વ્હાલા સાંઇબાબા પધારો,શ્રી ભોલેનાથની પાવનકૃપાય મળી જાય.
વ્હાલા સાંઇબાબાનુ સ્મરણ કરવા,ઑમ શ્રી સાંઇનાથાય નમઃ સ્મરાય
પાવનકૃપા દેહને મળતા ભક્તોને,જીવનમાં સત્માર્ગની પ્રેરણા મળીજાય
મારા વ્હાલા શ્રીસાંઇબાબા,અમારી શ્રધ્ધાપારખી શેરડીથી આવી જાવ
પુંજન કરી ઘરમાં બાબાના નામથી દીવો પ્રગટાવી વંદન કરુ હું રોજ
....એવા મારા વ્હાલા સાંઇબાબા પધારો,શ્રી ભોલેનાથની પાવનકૃપાય મળી જાય.
***************************************************************