September 2nd 2020

શ્રી અંબામાતા

 .           .શ્રી અંબામાતા 
તાઃ૨/૯/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ

આરાસુરથી માતા અંબાજી આવ્યા,અમારી શ્રધ્ધા ભક્તિ પારખી અહીં
મળ્યા આશિર્વાદ સંગે પ્રેમ માતાનો,જે તેમના આગમનથીજ મળી જાય
......એવા અજબકૃપાળુ અમારા વ્હાલા માતાજી,કુટુંબને પાવનરાહ આપી જાય.
અનંતપ્રેમની ગંગા માતાજી સંગે,પાવનરાહથી જીવને સુખશાંંતિ મેળવાય
મળેલ જન્મને સદમાર્ગેજ લઈ જવાય,જે દેહને અંતે મુક્તિજ આપી જાય
એવી પવિત્રકૃપા માતાની ભક્તો પર,એ મળેલદેહને સદમાર્ગેજ લઈ જાય
અમારા વ્હાલા અંબામાતાની પુંજા કરતાજ,શ્રી અંબે શરણં મમઃ બોલાય
......એવા અજબકૃપાળુ અમારા વ્હાલા માતાજી,કુટુંબને પાવનરાહ આપી જાય.
પરમકૃપાળુ અંબામાતા અવનીપર,જે માતાનુ આરાશુરથી આગમનકહેવાય
સંતાનને વ્હાલા માતાનો પ્રેમ મળે,જે જીવને મળતી પાવનરાહથી દેખાય
શ્રધ્ધાભાવથી બારણુ ખોલતાજ,માતાજીનુ પ્રેમથી આગમન મેળવાઇ જાય
સુખ સાગરનુ આગમન જીવનમાં,જે પવિત્રજીવનસંગે મુક્તિમાર્ગે લઈ જાય
......એવા અજબકૃપાળુ અમારા વ્હાલા માતાજી,કુટુંબને પાવનરાહ આપી જાય.
**************************************************************૮