September 7th 2020

વિરપુરના વૈરાગી

             .વિરપુરના વૈરાગી

તાઃ૭/૯/૨૦૨૦                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામની જ્યોત જીવનમાં પાવનરાહ,સંગે નિર્મળપ્રેમ પણ આપી જાય
અદભુત કૃપા પરમાત્માની વિરપુરમાં,જે પવિત્રજીવને પાવનદેહ દઈ જાય
…..એવા વિરપુરના વ્હાલા જલારામબાપા,અન્નદાનની પાવનરાહ પણ બતાવી જાય.
રાજબાઈના એ વ્હાલા સંતાન,ને પ્રધાન ઠક્કરના વ્હાલા દીકરા એ કહેવાય
જીવનસંગીની મળ્યા વિરબાઈ,જે પવિત્રરાહે પરમાત્માની પરીક્ષા કરીજાય
પવિત્રરાહે ભક્તિ કરવા જીવનમાં,સંત ભોજલરામથી આંગળી ચીંધાઈ ગઈ
રામનામની માળા કરતા સંસારમાં,પરમાત્માથી પાવનરાહ જીવને મળીગઈ
……એવા વિરપુરના વ્હાલા જલારામબાપા,અન્નદાનની પાવનરાહ પણ બતાવી જાય.
મળેલ માનવદેહ જીવને અવનીપર,જે પાવનકર્મની આંગળીએ ચીંધી જાય
પાવનરાહ મળે માનવીને જીવનમાં ના કોઇ માગણી કે અપેક્ષા થઈ જાય
સરળ જીવનમાં પ્રેમ મળે માનવીઓનો,જે જીવનમાં સંસ્કારને સાચવીજાય
સંત જલારામની જ્યોત જીવનમાં ન્યારી,જે નિરાધારને આધાર આપી જાય
……એવા વિરપુરના વ્હાલા જલારામબાપા,અન્નદાનની પાવનરાહ પણ બતાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
.