September 18th 2020

સાચીરાહ

.               સાચીરાહ        
તાઃ૧૮/૯/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરનુ આગમન જીવનુ,મળેલ માનવદેહ પર પ્રભુની કૃપા થાય
થયેલ કર્મનીકેડી એ જીવને સ્પર્શે,જે અવનીપર આવનજાવથીદેખાય
.....સમય સંગે ચાલતા માનવદેહને,જીવનમાં સત્કર્મની સાચી રાહ મળી જાય.
દેહ મળતા જીવને અવનીપર,કર્મની કેડીથી જીવવાનીય રાહ મેળવાય
અદભુતલીલા પરમાત્માની જગતમાં,જે અનેકરાહે દેહને પ્રેમઆપી જાય
મોહમાયાને દુર રાખીને પ્રેમ કરે,એજ નિર્મળપ્રેમની સાચીરાહ કહેવાય
મનને મળે અનંતશાંંતિ જીવનમાં,જે પાવનપ્રેમથી દેહને સુખઆપીજાય
.....સમય સંગે ચાલતા માનવદેહને,જીવનમાં સત્કર્મની સાચી રાહ મળી જાય.
દેહને સંબંધ સગાસંબંધીઓથી,જે મળેલદેહના પરિવારથી સમજાઈ જાય
સરળજીવનની રાહ શ્રધ્ધાપ્રેમથી કરેલભક્તિથી,દેહને જીવનમાં મળીજાય
નિર્મળપ્રેમ એ પરમાત્માની કૃપા જીવપર,જે મળે પાવનરાહ આપી જાય
થયેલકર્મનો સંબંધ છે જીવને જગતમાં,પ્રભુકૃપાએ જીવને મુક્તિમળીજાય
.....સમય સંગે ચાલતા માનવદેહને,જીવનમાં સત્કર્મની સાચી રાહ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++