May 20th 2022
. .કર્મની પાવનરાહ
તાઃ૨૦/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમમળે પરમાત્માનો માનવદેહને જીવનમાં,જે પવિત્રજીવન આપી જાય
જીવને માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના કર્મથી દેહ મળી જાય
....અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા મળી જાય.
જીવને જગતમાં અનેકદેહથી જન્મમળે,માનવદેહ એ પ્રભુની કૃપાકહેવાય
અનેક નિરાધાર દેહથી જીવનુ આગમનથાય,જ્યાં ભગવાનની કૃપા થાય
સમયે જીવને માનવદેહ મળે,જે જીવન ગતજન્મના થયેલકર્મથી મેળવાય
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને,સમજણનો સાથ મળતા મળીજાય
....અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાંદેવદેવીઓથીજ્ન્મીજાય
શ્રધ્ધા રાખીનેજ ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દરરોજ ભગવાનની પુંજા કરાય
મળેલ માનવદેહથી પરમાત્માની પુંજા કરતા,જીવને અંતે મુક્તિ મળીજાય
કર્મની પવિત્રરાહ મળે માનવદેહને,જ્યાં પાવનરાહે પ્રભુની કૃપાએ જીવાય
....અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.