October 30th 2023
. પવિત્રકૃપા સમયની
તાઃ૩૦/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને કર્મનો સંગાથ મળે જે જન્મથી,મળેલ માનવદેહને સમયસાથે લઇ જાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને કર્મની કેડીથી અનુભવાય
.....પવિત્રરાહ મળે જે જીવના માનવદેહને,જીવનમાં પવિત્ર કર્મનીકેડી સાથે ચલાય.
અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જે માનવદેહને ભક્તિરાહે પ્રેરીજાય
પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મમાં મળે,જે પવિત્ર ભારતદેહથી પ્રેરણામળીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મ લઈ જાય
ભગવાનની પવિત્રપ્રેરણાએ ભારતમાં,હિંદુધર્મમાં,દેવ અને દેવીઓથી જન્મીજાય
.....પવિત્રરાહ મળે જે જીવના માનવદેહને,જીવનમાં પવિત્ર કર્મનીકેડી સાથે ચલાય.
અવનીપર જીવના જન્મથી મળેલદેહને કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય
કુદરતની આજ પવિત્રકૃપા કહેવાય,જે જીવને સમય સાથે આગમનવિદાય મળે
ભગવાનનીકૃપાએ દેહને પવિત્રકર્મનો સંગાથ મળે,જે શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
ના મોહમાયનો સાથ મળે માનવદેહને,જીવનમાં ઘરમાં પ્રભુની પુંજા થઈ જાય
.....પવિત્રરાહ મળે જે જીવના માનવદેહને,જીવનમાં પવિત્ર કર્મનીકેડી સાથે ચલાય.
###################################################################