પુણ્ય તીથી
પુણ્ય તીથી
તાઃ૩૦/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોઇ દિવસ અને કોઇ સમય,જે જગમાં નોંધાઇ જાય
સાર્થક માનવ જન્મ થતાં,એ પુણ્યતીથી જ કહેવાય
……….કોઇ દિવસ અને કોઇ સમય.
જીવ જન્મના આ સંબંધ, તો જન્મો જન્મના છે ખેલ
કુદરતની ન્યારી આ લીલા,ના જગમાં રહે કોઇ મેળ
જન્મમળે ના જીવને જગમાં,છે મોટી ત્યાં રેલમછેલ
આજકાલના છે આ બંધન ન્યારા,ના તેમાં કોઇ ભેદ
………કોઇ દિવસ અને કોઇ સમય.
ન્યારી દેહને તક મળે,જ્યાં માનવ દેહ જગમાં મળે
ઉજ્વળજીવન સાર્થકકરતાં,ફરી જગમાં જન્મનામળે
ના રોકાય સમય કે વાર,એતો અગણીત લીલાજગે
યાદ રહે એ વાર ને તીથી,જે જગમાં કદી કદી મળે
……….કોઇ દિવસ અને કોઇ સમય.
માનવતાની મહેંક છે ન્યારી,ના કુદરતનો કોઇ ભેદ
આવી અવની પર કરતાં,સાર્થક બનતા કામ અનેક
મળીજાય ત્યાં માનવતા,જ્યાં સહકાર સાથબની રહે
પુણ્ય તીથીની આરીત,જ્યાં પ્રેમછે ત્યાંએ મળ્યા કરે
………કોઇ દિવસ અને કોઇ સમય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$