ભક્તિસંગ
ભક્તિસંગ
તાઃ૧/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મતણા બંધનથી જગતમાં,જીવ અવતરણે લબદાય
સરળતાની સાંકળનેસમજતાં,પ્રભુ ભક્તિમાં વળીજાય
……….કર્મતણા બંધનથી જગતમાં.
લાયકાત મળતાંજીવને,અવનીએ પ્રાણીપશુ જન્માય
આરો ચારો શોધીને જીવતા,જગે જન્મ પુરો થઇ જાય
કુદરતની આ લીલામાં જીવને,માનવજન્મ છે દેવાય
સમજ અને સમયને પારખી,કર્મે જન્મ સફળ લેવાય
……….કર્મતણા બંધનથી જગતમાં.
દેહ મળે જ્યાં માનવનો,ત્યાં બાળપણે આનંદ થાય
પ્રેમ મળે વડીલોના જગે,તેને આશીર્વાદ છે કહેવાય
લાયકાતનુ બારણું ખોલતાંજ,સરળ જીવન થઇ જાય
ઉજ્વળજીવનનો અણસારમળતાં,જન્મ સફળ દેખાય
……….કર્મતણા બંધનથી જગતમાં.
જન્મમરણ ના સંબંધ દેહને,જે છે ઉંમરનો અણસાર
કામ ક્રોધ અને મોહ છોડતાં,આ જન્મ સફળ દેખાય
મુક્તિ ના દ્વાર ખોલવા,ના કોઇ લાલચ મોહ રખાય
ભક્તિનોસંગ ઘરમાં જ લેતાં,જન્મ સફળ થઇ જાય
………કર્મતણા બંધનથી જગતમાં.
==============================