અતુટ માયા
અતુટ માયા
તાઃ૯/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરુણાસાગર,મુક્તિ દાતા,જગજીવનના ભાગ્ય વિધાતા
કરીએ પુંજનઅર્ચન મનથી,કરશે જીવનઉજ્વળ તનથી
……..કરુણા સાગર,મુક્તિ દાતા.
ભક્તિની જો માયાલાગી,તો જન્મસફળ થઇ જશે અહીં
મુક્તિ દ્વાર ખોલશે કરુણાસાગર,તનને શાંન્તિમળી જશે
નાચિંતા આવતીકાલની રહેશે,કે નાબારણે ઉભી ઉપાધી
ઉજ્વળ જીવન મહેંકી રહેશે,ને જીવને શાંન્તિ મળી જશે
……….કરુણા સાગર,મુક્તિ દાતા.
માયાજો વળગી મોહની તો,ના રહેશે આરો કે ઓવારો
મુંઝવણ વણમાગી મળીજશે,ને ના સાથકે કોઇ સહારો
એક માગેલુ મળીજશે,તે પહેલાબીજુ વણમાગેલુમળશે
અલખની જ્યાં દ્રષ્ટિ પડશે,બંધન છુટીજશે આ તનથી
……….કરુણા સાગર,મુક્તિ દાતા.
/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/