કરેલા કર્મ
કરેલા કર્મ
તાઃ૧૦/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતનીમ છે જગતપિતાનો,સાર્થક જીવનો સંગ
કામનામએ ભક્તિ સંગથી,ભગાવશે દુન્યવી રંગ
…….જગતનીમ છે જગતપિતાનો.
માનવજીવન ઉજ્વળતાદે,જો મેળવે જગમાં પ્રેમ
મારુંતારું નાવળગે જ્યારે,લાવશે ઉમંગ જીવનમાં
કર્મનાબંધન દેહને વળગે,જે પાવન કરે આ જન્મ
પામીપ્રેમ પરમાત્માનો,મળશે સારા જીવોનો સંગ
……..જગતનીમ છે જગતપિતાનો.
વાણી વર્તનએ દેહનીસાથે,જે મતી તરફ લઇજાય
કોણ,ક્યારે,કેમઆવે,ના જીવનમાં કોઇથી સમજાય
ભક્તિનો એક સાચોતાંતણો,મોહમાયાને ભગાડે દુર
લઇ જાય મુક્તિના માર્ગે,જે સાચાસંતથી મેળવાય
…….જગતનીમ છે જગતપિતાનો.
સુર્યોદયનો સહવાસસૌને,મળે જીવને વર્તનએ સંગે
સુર્યાસ્ત આવશે આંગણે,પણ ના મોહનો છોડશેરંગ
દીનચર્યામાં વર્તનનોદોર,મેળવશે ભવભવનાબંધન
કરેલા સારાકર્મથી દેહને,મળશે પરમાત્માનાપગરણ
……. જગતનીમ છે જગતપિતાનો.
*****************************************