સિંદુરની કિંમત
સિંદુરની કિંમત
તાઃ૧૬/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ જીવનોસફળ બને,જ્યાં દેહને ઉજ્વળ કુળમળે
પવિત્ર પાવન ભક્તિ મળે,ને હિન્દુકુળમાં જન્મ મળે
………જન્મ જીવનો સફળ બને.
માતાપિતાનો હરખ મળે,જ્યાં સંતાનને સાચી રાહ
નિર્મળ પાવન પ્રેમ વહે,ને માનવજીવનમાં ઉજાસ
શીતળ જીવનનો સહવાસ લેવા,દીકરી સાસરે જાય
સંસારનાસહવાસી પતિથી,ત્યાં સેંથામાંસિંદુર પુરાય
………જન્મ જીવનો સફળ બને.
શ્રધ્ધા અને વિશ્વાસમાં જ્યાં અંતરે પ્રેમ આવી જાય
ચપટી સિંદુર કપાળમાં મુકતા,સૌભાગ્યવતી થવાય
ચપટીની ગપટી ના સમજાતા,શ્રીહનુમાનજી મુંઝાય
શરીરે સિંદુરલગાવી,પ્રભુરામનાચરણનું શરણુ લેવાય
………જન્મ જીવનો સફળ બને.
==================================