January 18th 2010

શ્રધ્ધાનું બળ

                             શ્રધ્ધાનું બળ

તાઃ૧૭/૧/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામ મને ભક્તિ દેજો,જ્યાં મળવા આવે પ્રભુ રામ
સાંઇબાબા મને પ્રેમ દેજો,જ્યાં પરમપિતા પણ હરખાય
                            ………જલારામ મને ભક્તિ દેજો.
નિત્ય સવારે પ્રાર્થના કરતાં,મનને શાંન્તિ મળી જાય
પ્રભાતના પહેલા કિરણોથી,ઉજાસ ઘરમાંય થઇ જાય
મોહમાયાના બંધન પણ તુટે,નારહે અપેક્ષા મનમાંય
પવિત્ર જીવન પામવા કાજે,સંત જલાસાંઇને ભજાય
                           ………જલારામ મને ભક્તિ દેજો.
માનવ જીવન સાર્થક કરવા,નાકોઇ દેહને દુઃખી કરાય
પ્રેમ પામવા પ્રેમદેતાં જગમાં,પરમાત્મા પણ હરખાય
એક દ્રષ્ટિએ પ્રભુને જોતાં,ના ભેદભાવ કોઇજગે દેખાય
માનવતાનો સંકેતમળેજીવને,જ્યાં સાંઇબાબાને ભજાય
                            ………જલારામ મને ભક્તિ દેજો.
કર્મના બંધન જીવની સાથે,જે માનવદેહને દોરી જાય
માનવતાની મહેંક સંગે રહે,જ્યાં સંતને શરણે જવાય
માયામુકી જ્યાં ભક્તિથાય,ત્યાં પરમાત્મા આવી જાય
ઉજ્વળ દેહના દર્શન થાતાં,જીવનો જન્મ સુધરી જાય
                            ………જલારામ મને ભક્તિ દેજો.

***********************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment