કર્મની કિંમત
કર્મની કિંમત
તાઃ૧/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મ કરેલા જ સાથે આવે,ના કોઇથી એ છોડાય
રાજા, રાણી,સંત કે સહવાસી,જીવ સાથે જોડાય
………..કર્મ કરેલા જ સાથે આવે.
આધાર નિરાધાર એ,કર્મના બંધનથી મેળવાય
લાગણીપ્રેમનેવર્તન,એ માનવમનથી વિચારાય
………..કર્મ કરેલા જ સાથે આવે.
દીકરો દીકરી કર્મનાબંધન,ગત જન્મથી સહવાય
મળે મોહ ને માયા સંગે,જે કળીયુગમાં જ દેખાય
………..કર્મ કરેલા જ સાથે આવે.
વંદન વડીલોને કરતાં દેહે,એ માણસાઇ જ કહેવાય
આદર સન્માનને પકડીરહેતા,જીવન ઉજ્વળ થાય
………..કર્મ કરેલા જ સાથે આવે.
સુખદુઃખના બંધન દેહને,ના જીવને કદીએ દેખાય
અવની પરના આગમનથી,મળે દેહને જ તત્કાળ
…………કર્મ કરેલા જ સાથે આવે.
અંતરયામી છે દીનદયાળુ,પ્રભુભક્તિ એ દેખાય
આંગણે આવે પરમાત્મા,જ્યાં સેવા પ્રભુની થાય
……….કર્મ કરેલા જ સાથે આવે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦