April 1st 2010

કર્મની કિંમત

                            કર્મની કિંમત

તાઃ૧/૪/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મ કરેલા જ સાથે આવે,ના કોઇથી એ છોડાય
રાજા, રાણી,સંત કે સહવાસી,જીવ સાથે જોડાય
                     ………..કર્મ કરેલા જ સાથે આવે.
આધાર નિરાધાર એ,કર્મના બંધનથી મેળવાય
લાગણીપ્રેમનેવર્તન,એ માનવમનથી વિચારાય
                     ………..કર્મ કરેલા જ સાથે આવે.
દીકરો દીકરી કર્મનાબંધન,ગત જન્મથી સહવાય
મળે મોહ ને માયા સંગે,જે કળીયુગમાં જ દેખાય
                     ………..કર્મ કરેલા જ સાથે આવે.
વંદન વડીલોને કરતાં દેહે,એ માણસાઇ જ કહેવાય
આદર સન્માનને પકડીરહેતા,જીવન ઉજ્વળ થાય
                     ………..કર્મ કરેલા જ સાથે આવે.
સુખદુઃખના બંધન દેહને,ના જીવને કદીએ દેખાય
અવની પરના આગમનથી,મળે દેહને જ તત્કાળ
                    …………કર્મ કરેલા જ સાથે આવે.
અંતરયામી છે દીનદયાળુ,પ્રભુભક્તિ એ દેખાય
આંગણે આવે પરમાત્મા,જ્યાં સેવા પ્રભુની થાય
                      ……….કર્મ કરેલા જ સાથે આવે.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment