સંગનો રંગ
સંગનો રંગ
તાઃ૬/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માગી લીધું માનવી મનથી,જે લોભ મોહથી દેહે મેળવાય
જીવને ના સમજ કે સંગથી, જીંદગીનો રંગ બદલાઇ જાય
………..માગી લીધું માનવી મનથી.
અવનીપર જે અવતરણ જીવના,તે જીવના બંધન કહેવાય
છુટી શકે ના કોઇ જગતમાં,હોય સાધુ કે સન્યાસી સમજાય
કર્મના બંધન સૌને વળગે,જે દેહ મળતા જગમાં ઓળખાય
શ્રધ્ધા અર્ચનને સાચીભક્તિ કરતાં,જીવને મુક્તિદ્વાર દેખાય
………..માગી લીધું માનવી મનથી.
સંગ અને સહવાસ જીવનો,જે દેહ થકી જ જગમાં છે લેવાય
કોનો કેવો સંગ દેહને મળ્યો,તે તેના વર્તનથી જાણી લેવાય
મુક્તિમાર્ગને પારખી લેતાં,સાચી ભક્તિનો થઇજાય સહવાસ
રંગ નાલાગે મોહ માયાનો દેહે,જે વર્તનથી જગતમાં જોવાય
…………માગી લીધું માનવી મનથી.
==================================