July 17th 2010

ભાવથી ભક્તિ

                      ભાવથી  ભક્તિ

તાઃ૧૭/૭/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ કરી જ્યાં ભાવથી,ત્યાં જીવને શાંતિ મળી ગઇ
લાગણી પ્રેમ ને હેત જોતાં,જીંદગી ઉજ્વળ થતી જોઇ
                           ………..ભક્તિ કરી જ્યાં ભાવથી.
નિત્યસવારે અર્ચનકરતાં,ધુપકરતો દીવો હાથમાંલઇ
મનથી માગતો મનનીશાંન્તિ,ને વંદન કરતો હુંઅહીં
જલાસાંઇને તિલક કરતાં,જીવની મુક્તિ માગતો ભઇ
આશિર્વાદનો અણસારમળતાં,જીવેશાંન્તિ અદભુતથઇ
                           ……….ભક્તિ કરી જ્યાં ભાવથી.
જલાબાવની ને સાંઇધુનથી,ખુશ રહેતો ઘરમંદીરે ભઇ
કૃપાનો સહવાસ મળતાં,સૌ કામ સરળ થાય છે અહીં
દુનીયાની ના ચિંતા રહેતી,એ બારણેથી ભાગતી થઇ
મનની શાંન્તિને જીવની મુક્તિ,ભક્તિથી જોવાઇ ગઇ
                          ………..ભક્તિ કરી જ્યાં ભાવથી.

================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment