July 30th 2010

અંધકાર

                          અંધકાર

તાઃ૩૦/૭/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યાં આંખો બંધ કરું હું,ત્યાં અંધકાર છવાઇ જાય
જગમાં કાંઈ દીસે નહીં,ત્યાં જીંદગી વેડફાઇ જાય
                           ………..જ્યાં આંખો બંધ કરું હું.
દેહને મળેલ છે આંખો,જેનાથી દુનીયા દેખાઇ જાય
અજબલીલા આકુદરતની,આખીસૃષ્ટિ સમજાઇજાય
બંધઆંખે ચાલતાં આદેહ,જ્યાં ત્યાં ખાડે પડી જાય
માનવતાએ મળે કોઇટેકો,નહીં તો મૃત્યુ મળી જાય
                              ……….જ્યાં આંખો બંધ કરું હું.
જીવનના સોપાન ચઠવા,ભણતરના સંગને લેવાય
મનથી કરતાં મહેનતસંગે,ઉજાસ બુધ્ધિએ સહવાય
મળે જ્યાં સાચીરાહ જીવનમાં,અંધકાર ભાગી જાય
દેહમળેલ માનવીનો જીવને,સાર્થકતા મેળવી જાય
                               ………જ્યાં આંખો બંધ કરું હું.

==============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment