નિર્ધન ને ધનવાન
નિર્ધન ને ધનવાન
તાઃ૧૭/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરનુ આગમન એતો, જીવનો સંબંધ કહેવાય
લેણદેણ જે ધરતીના જીવને,કર્મનાબંધનથી સચવાય
……….અવનીપરનુ આગમન એતો.
મારું તારું કરતાં કરતાં,જ્યાં દેહ મૃત્યુને મેળવી જાય
આશા અધુરી રહી જતાં જીવને,ફરી જન્મ મળી જાય
મોહમાયા ધનવાનની વૃત્તિ,ધન મળી જતાં બદલાય
સગા સંબંધીને દુર રાખતાં,દેહને તિરસ્કાર મળી જાય
……….અવનીપરનુ આગમન એતો.
નિર્ધનને નામાયા ધનની,એતો મહેનતથી જીવી જાય
તન,મન,ધનને સરળરાખતાં,આમન પાવન થઈજાય
નિશ્વાર્થભાવની ભક્તિસંગે,નિશ્વાર્થપ્રેમ પણ મળી જાય
ધનની માયા વળગીજતાં,જીવનોજન્મ વ્યર્થ થઈજાય
…………..અવનીપરનુ આગમન એતો.
=================================