કરતારની કલમ
. કરતારની કલમ
તાઃ૨૮/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભાગ્ય માગે નામળતુ આ દેહે, એતો જીવની છે ઘટમાળ
ઉજ્વળ જીવન મળે ભક્તિએ,જે કરતારની કલમે લખાય
. ………..ભાગ્ય માગે ના મળતુ આ દેહે.
માયામોહ ને આશા નિરાશા,એતો અવની પરના છે દ્વાર
વળગે છુટે એ દેહને અવનીએ,ના કોઇનાથીય છટકાય
નિર્મળરાહની જ્યોતજલે ત્યાં,જ્યાં સંત જલાસાંઇ ભજાય
પ્રભુભક્તિની આ છે અનોખીચાવી,જે પ્રભુ કૃપા દઈ જાય
. …………ભાગ્ય માગે ના મળતુ આ દેહે.
સરળ માર્ગની માગણી સૌની,જ્યાં જીવને દેહ મળી જાય
શીતળતાનો સહવાસ મળે,જે સાચી ભક્તિ એ લઈ જાય
કર્મના બંધન મળે કલમથી,જ્યાં દેહથી લેણદેણ સહેવાય
મુક્તિદ્વારની ખુલે ત્યાં સાંકળ,જ્યાં નિર્મળભક્તિ થઈજાય
. …………ભાગ્ય માગે ના મળતુ આ દેહે.
{{{{{{{{{{{{{{{{{{{{}}}}}}}}}}}}}}}}}}}