મમતાની કસોટી
. મમતાની કસોટી
તાઃ૨૮/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વ્હાલની નદીના નિર્મળ પાણી,જ્યાં સચવાય છે જીભની વાણી
મમતાને નાપારખ કોઇથી,એતો માતાના પ્રેમથી મળતાં જાણી
. ………….વ્હાલની નદીના નિર્મળ પાણી.
મળેલ માનવ જીવન સાર્થક કરવા,અવનીએ સૌ પ્રેમ મેળવતા
માન અપમાનની નાકોઇ માયા,જીવનમાં ના કદી પડે એ છાયા
ઉજવળજીવન મળે માનાઆશિર્વાદે,નામાયામોહને ઉભરો આવે
સાચીરાહ દેહને મળતાં જગતમાં,જીવ જન્મથી સદા મુક્તિ પામે
. …………વ્હાલની નદીના નિર્મળ પાણી.
સદવિચારની એ રાહ મળે ત્યાં,જ્યાં ભક્તિ ને મમતા સંગે રહે છે
મળતી દેખાવનીમાયા ભાગીજાતાં,નિર્મળપ્રેમની જ્યોત મળે છે
કરુણા કૃપાની અજબ છે હેલી,દઈ દે એ જીવનમાં સુવાસ મધુરી
મળે માતાનો પ્રેમ હ્ર્દયથી,પરમાત્મા પ્રેમે મળે મુક્તિ જીવનથી
. ……………વ્હાલની નદીના નિર્મળ પાણી.
-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=