July 28th 2011

મમતાની કસોટી

.                  મમતાની કસોટી

તાઃ૨૮/૭/૨૦૧૧                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

વ્હાલની નદીના નિર્મળ પાણી,જ્યાં સચવાય છે જીભની વાણી
મમતાને નાપારખ કોઇથી,એતો માતાના પ્રેમથી મળતાં જાણી
.                          ………….વ્હાલની નદીના નિર્મળ પાણી.
મળેલ માનવ જીવન સાર્થક કરવા,અવનીએ સૌ પ્રેમ મેળવતા
માન અપમાનની નાકોઇ માયા,જીવનમાં ના કદી પડે એ છાયા
ઉજવળજીવન મળે માનાઆશિર્વાદે,નામાયામોહને ઉભરો આવે
સાચીરાહ દેહને મળતાં જગતમાં,જીવ જન્મથી સદા મુક્તિ પામે
.                             …………વ્હાલની નદીના નિર્મળ પાણી.
સદવિચારની એ રાહ મળે ત્યાં,જ્યાં ભક્તિ ને મમતા સંગે રહે છે
મળતી દેખાવનીમાયા ભાગીજાતાં,નિર્મળપ્રેમની જ્યોત મળે છે
કરુણા કૃપાની અજબ છે હેલી,દઈ દે એ જીવનમાં સુવાસ  મધુરી
મળે માતાનો પ્રેમ હ્ર્દયથી,પરમાત્મા પ્રેમે મળે મુક્તિ જીવનથી
.                           ……………વ્હાલની નદીના નિર્મળ પાણી.

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment