પ્રેમાળ દ્રષ્ટિ
. .પ્રેમાળ દ્રષ્ટિ
તાઃ૧૨/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતનીકાતર નિરાળી,એ કર્મના બંધને સમજાય
મળે દેહ અવનીએ જીવને,એ દ્રષ્ટિ પ્રેમાળ કહેવાય
. …………………કુદરતની કાતર નિરાળી.
જાગી રહેતા જીવને જગતમાં,અનેક દેહ ફરતા દેખાય
કર્મના બંધન એ કાતર જીવની,જે જીવને જકડી જાય
ભક્તિપ્રેમની નિર્મળ રાહે,જીવને માનવતા મળી જાય
નિર્મળસ્નેહની ગંગાવહે,જ્યાં સાચી શ્રધ્ધા ભક્તિથાય
. ………………….કુદરતની કાતર નિરાળી.
માગી લીધો જ્યાં પ્રેમ જીવે,જે અનેક રીતે મેળવાય
શાંન્તિને સંગાથ લઈઆવે,સાચો નિર્મળપ્રેમ કહેવાય
દેખાવની દુનીયાનોપ્રેમ,જે સમયઆવતા ભાગીજાય
નામળેજ્યાંમાગણી મનકરે,એ દેખાવનોપ્રેમ કહેવાય
. …………………..કુદરતની કાતર નિરાળી.
===================================