લખેલ કર્મ
. .લખેલ કર્મ
તાઃ૧૮/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતાંપ્રેમ પ્રભુનો જીવને,કર્મની કેડી મળી જાય
અવનીપરના આગમનથી,જીવે કર્મ લખાતાજાય
. ……………….મળતાં પ્રેમ પ્રભુનો જીવને.
સુગંધ પ્રસરે પ્રેમની જગે,જે સત્કર્મોથી જ સંધાય
જલાસાંઈની ભક્તિ કેડીએ,પરમાત્મા રાજી થાય
માગણી પ્રેમ પ્રભુથી કરતાં,જન્મ સફળ થઇ જાય
કર્મના બંધન જીવની સંગે,જે સદગતિ દઈ જાય
. ………………. મળતાં પ્રેમ પ્રભુનો જીવને.
નિરાધારનો આધાર પ્રભુજી,વાણી વર્તનથી દેખાય
ભક્તિનો છેસંગઅનેરો,જીવેઆધી વ્યાધીથીબચાય
સાચી રાહ મળે જીવને જ્યાં,ના ખોટો પ્રેમ ઉભરાય
કૃપાની કેડી જીવને મળે,જ્યાં કર્મ સારા લખેલહોય
. ………………… મળતાં પ્રેમ પ્રભુનો જીવને.
+++++++++++++++++++++++++++++++++++++++