June 18th 2012

લખેલ કર્મ

.                       .લખેલ કર્મ

તાઃ૧૮/૬/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતાંપ્રેમ પ્રભુનો જીવને,કર્મની કેડી મળી જાય
અવનીપરના આગમનથી,જીવે કર્મ લખાતાજાય
.             ……………….મળતાં પ્રેમ પ્રભુનો જીવને.
સુગંધ પ્રસરે પ્રેમની જગે,જે સત્કર્મોથી જ સંધાય
જલાસાંઈની ભક્તિ કેડીએ,પરમાત્મા રાજી થાય
માગણી પ્રેમ પ્રભુથી કરતાં,જન્મ સફળ થઇ જાય
કર્મના બંધન જીવની સંગે,જે સદગતિ દઈ જાય
.             ………………. મળતાં પ્રેમ પ્રભુનો જીવને.
નિરાધારનો આધાર પ્રભુજી,વાણી વર્તનથી દેખાય
ભક્તિનો છેસંગઅનેરો,જીવેઆધી વ્યાધીથીબચાય
સાચી રાહ મળે જીવને જ્યાં,ના ખોટો પ્રેમ ઉભરાય
કૃપાની કેડી જીવને મળે,જ્યાં કર્મ સારા લખેલહોય
.           ………………… મળતાં પ્રેમ પ્રભુનો જીવને.

+++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment