મુક્તિ
. .મુક્તિ
તાઃ૨/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંત દેહનો આવે ત્યારે,સંત જલાસાંઇના દર્શન થાય
મુક્તિ આવી મળે જીવને,મળેલ જન્મસફળ થઈજાય
. …………….અંત દેહનો આવે ત્યારે.
કર્મની કેડી પકડી ચાલે,એને જીવના બંધન કહેવાય
સમયનેસમજી જીવનજીવે,જ્યાં જીવભક્તિએ સંધાય
માયામોહને પડે લાકડી,જ્યાંસાચી પ્રભુકૃપા થઈજાય
આવી મળે સન્માન દેહને,એથી જન્મ સફળથઈ જાય
. ……………….અંત દેહનો આવે ત્યારે.
આજકાલની ના રામાયણ,જ્યાં સાચી શ્રધ્ધા મળી જાય
પળપળને પારખીલેતાં જીવને,ના આધીવ્યાધી લેવાય
આવી આંગણે સસ્કા મળે,ને દેહના વર્તનથી સુખ થાય
જલાસાંઇની ભક્તિકરતાં,અવનીએ જીવને આનંદથાય
. …………………અંત દેહનો આવે ત્યારે.
+++++++++++++++++++++++++++++++++++++