June 2nd 2012

મુક્તિ

.                       .મુક્તિ

તાઃ૨/૬/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંત દેહનો આવે ત્યારે,સંત જલાસાંઇના દર્શન થાય
મુક્તિ આવી મળે જીવને,મળેલ જન્મસફળ થઈજાય
.                           …………….અંત દેહનો આવે ત્યારે.
કર્મની કેડી પકડી ચાલે,એને જીવના બંધન કહેવાય
સમયનેસમજી જીવનજીવે,જ્યાં જીવભક્તિએ સંધાય
માયામોહને પડે લાકડી,જ્યાંસાચી પ્રભુકૃપા થઈજાય
આવી મળે સન્માન દેહને,એથી જન્મ સફળથઈ જાય
.                        ……………….અંત દેહનો આવે ત્યારે.
આજકાલની ના રામાયણ,જ્યાં સાચી શ્રધ્ધા મળી જાય
પળપળને પારખીલેતાં જીવને,ના આધીવ્યાધી લેવાય
આવી આંગણે સસ્કા મળે,ને દેહના વર્તનથી સુખ થાય
જલાસાંઇની ભક્તિકરતાં,અવનીએ જીવને આનંદથાય
.                        …………………અંત દેહનો આવે ત્યારે.

+++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment