June 7th 2012

મળી જાય

.                  .મળી જાય

તાઃ૭/૬/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

આગળ પાછળ અંધકાર દીસે,જ્યાં સર્જનહારને વિસરાય
ઉજ્વળકેડી મળીજાયજીવે,જ્યાં જલાસાંઈની ભક્તિથાય.
.               ………………..આગળ પાછળ અંધકાર દીસે.
અંતરયામી છે અવિનાશી,જીવના ખોલે છે એ મુક્તિદ્વાર
આવીઆંગણે  પ્રેમ વરસાવે,જ્યાં ભક્તિથીપ્રેમ મેળવાય
દાનપેટીમાં દાન મુકતાં  કળીયુગે,અપેક્ષા અનેક રખાય
આજે મળશે કાલે મળશે રાહ જોતાં,જીવન પુરૂ થઈ જાય
.               …………………આગળ પાછળ અંધકાર દીસે.
સમજણ સાચી મળે દેહને,જ્યાં દેહે વડીલને વંદન થાય
મળેપ્રેમ અલભ્ય દેહને જીવનમાં,જેને લાયકાત કહેવાય
આશીર્વાદની સાચી રાહથી,જીવનો જન્મ સફળ પણથાય
આજકાલની નારાહ જોતાં જીવને,સ્વર્ગીય સુખ મળીજાય
.                …………………આગળ પાછળ અંધકાર દીસે.

++++++++++++++++++++++++++++++++++++

June 7th 2012

અંધારી રાત

.                   .અંધારી રાત

તાઃ૭/૬/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંધકારમાં જ્યાં નૈયા ચાલે,ના રાહ સાચી મેળવાય
અહીંતહીં ભટકી ચાલતાદેહે,આ જીંદગી વેડફાઇજાય
.                    ………………અંધકારમાં જ્યાં નૈયા ચાલે.
શાંન્તિશોધવા જ્યાંદીવો લીધો,ત્યાં અગ્નિ ભડકી જાય
નાઆવી આરાધના કરેલી,જ્યાં દેખાવની ભક્તિ થાય
લાગણી મોહને માયા વળગી,જીવની રાહ ખોવાઇ ગઈ
નિર્મળતાનો સાગર છુટતાં,જીવનેઅંધારીરાત મળીગઈ
.                   ………………..અંધકારમાં જ્યાં નૈયા ચાલે.
માનવી મનને નિર્મળ શાંન્તિ,સાચી ભક્તિએ મળી જાય
શીતળતાનો સહવાસમળે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
આવે ઉજાસ જીવનમાંસાચો,જીવને મુક્તિમાર્ગ મળીજાય
પરમાત્માની અસીમ કૃપાએ જ,અંધારી રાત ઉજળી થાય
.                    …………………અંધકારમાં જ્યાં નૈયા ચાલે.

======================================