મળી જાય
. .મળી જાય
તાઃ૭/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આગળ પાછળ અંધકાર દીસે,જ્યાં સર્જનહારને વિસરાય
ઉજ્વળકેડી મળીજાયજીવે,જ્યાં જલાસાંઈની ભક્તિથાય.
. ………………..આગળ પાછળ અંધકાર દીસે.
અંતરયામી છે અવિનાશી,જીવના ખોલે છે એ મુક્તિદ્વાર
આવીઆંગણે પ્રેમ વરસાવે,જ્યાં ભક્તિથીપ્રેમ મેળવાય
દાનપેટીમાં દાન મુકતાં કળીયુગે,અપેક્ષા અનેક રખાય
આજે મળશે કાલે મળશે રાહ જોતાં,જીવન પુરૂ થઈ જાય
. …………………આગળ પાછળ અંધકાર દીસે.
સમજણ સાચી મળે દેહને,જ્યાં દેહે વડીલને વંદન થાય
મળેપ્રેમ અલભ્ય દેહને જીવનમાં,જેને લાયકાત કહેવાય
આશીર્વાદની સાચી રાહથી,જીવનો જન્મ સફળ પણથાય
આજકાલની નારાહ જોતાં જીવને,સ્વર્ગીય સુખ મળીજાય
. …………………આગળ પાછળ અંધકાર દીસે.
++++++++++++++++++++++++++++++++++++