September 24th 2020

નિર્મળ જીવન

***સુખી અને સફળ જીવનના સૂત્રો જણાવે છે, કમળ પર બેઠેલાં લક્ષ્મીજી... - Suvichar Dhara***

.            નિર્મળ જીવન  
તાઃ૨૪/૯/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જન્મ મળે જીવને અવનીપર,જે ગતજન્મે મળેલદેહના કર્મથી મેળવાય
અવનીપરનુ આગમન અને વિદાય,પરમાત્માની પાવનલીલાજ કહેવાય  
.....મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે પ્રભુકૃપાએજ નિર્મળ જીવન આપી જાય.
સુખશાંંતિનો સંગાથ મળે જીવનમાં,જ્યાં નાકોઇ જ મોહમાયા રખાય
થયેલ કર્મએ સાથ આપે દેહને,ના કોઇ દેહથી કદી જીવનમાં છટકાય
શ્રધ્ધાભાવના એ પાવનરાહ છે,અવનીપર પ્રભુએ લીધેલ દેહનેજ પુંજાય
પવિત્રરાહે જીવનજીવતા વ્હાલા સંત,જીવને સદમાર્ગની રાહ આપીજાય
.....મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે પ્રભુકૃપાએજ નિર્મળ જીવન આપી જાય.
નિરાધારને આધાર મળે જીવનમાં,જે દેહને પરમશાંંતિની રાહ દઈ જાય 
મળેલ માનવદેહની માનવતા પ્રસરે,એજ દેહને નિર્મળ જીવનથી દેખાય
કુદરતની પાવનકેડી છે અવનીપર,એ મળેલ દેહને શાંંતિ એ પ્રેરી જાય
પાવનરાહ એ જીવથી થયેલકર્મથી સ્પર્શે,એદેહને શ્રધ્ધાભક્તિથી જીવાય
.....મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે પ્રભુકૃપાએજ નિર્મળ જીવન આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment