July 5th 2021

સમય મળ્યો

લાંબા સમય બાદ આજે બન્યા બે શુભયોગ, આ રાશિઓનું ગણેશજી કરશે ભાગ્ય પરીવર્તન | Lagni No Sambandh

.           .સમય મળ્યો

તાઃ૫/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માનો પાવનપ્રેમ મળે માનવદેહને,જે સમયને સમજીને ચાલી જાય
કુદરતની આ પવિત્રલીલા છે ધરતીપર,એ કૃપાએજ જીવનાદેહને સમજાય
....જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને મળેલ માનવદેહને સમયે સમજાઈ જાય.
અદભુતલીલા જગતપર પરમાત્માની,એ જીવનાદેહને માનવતા સ્પર્શી જાય
જીવનેસંબંધ ગતજન્મે મળેલદેહથી,થયેલકર્મનો સંબંધ માનવદેહને સમજાય
માનવદેહને સમયની સાથે ચાલતા,સમયે સમજણનોસંગાથ પણ મળીજાય
એ પવિત્રકૃપા પ્રભુની જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પભુની પુંજા કરાય
....જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને મળેલ માનવદેહને સમયે સમજાઈ જાય.
જીવનમાં સમયની સાથે ચાલતા માનવદેહને,નાઆશા નાઅપેક્ષા અડી જાય
કુદરતની કૃપા પરમાત્માના ભક્તપર,જ્યાં પવિત્રભાવનાથી ધુપદીપથી પુંજાય
મળેલદેહને સમયનો સંબંધ જીવનમાં,જે બાળપણ જુવાની ઘડપણથી દેખાય
શ્રધ્ધાભાવનાથી પુંજાની રાહમળી,એ ભારતમાં લીધેલ પ્રભુનાદેહથી મળીજાય
....જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને મળેલ માનવદેહને સમયે સમજાઈ જાય.
===============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment