July 8th 2021

જગદંબા માં અંબિકા

###આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-4.png છે###

.       .જગદંબા માં અંબિકા

તાઃ૮/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રશ્રધ્ધાથી માતાનીપુંજા કરતા,આરાસુરથી માતા અંબાજી આવી જાય
જય અંબે માતાના સ્મરણ કરતા ભક્તોને,પવિત્રકૃપાનો અનુભવ થઈ જાય
....એજ માતા અંબાની પવિત્રકૃપા,જે કરેલ ભક્તિ પારખી આરાસુરથી આવી જાય.
શ્રધ્ધાભાવનાથી ઘરમાં પુંજન કરીને,માતાને ધુપદીપ કરીને વંદન પણ કરાય
શ્રી અંબે શરણં મમઃથી પ્રાથનાકરી,જયઅંબેમા જયઅંબેમાની માળા જપાય
પવિત્ર પુજ્ય માતાની કૃપા ભક્તો પર થતા,જીવનમાં કૃપાનો અનુભવ થાય
શ્રધ્ધા રાખીને જીવનમાં સમયે માતાને વંદન કરતા,માતાનો પ્રેમ મળી જાય
....એજ માતા અંબાની પવિત્રકૃપા,જે કરેલ ભક્તિ પારખી આરાસુરથી આવી જાય.
પવિત્રદેહ લીધા છે પરમાત્માએ ભારત દેશમાં,જ્યાં ભગવાનની પવિત્રકૃપા થાય
હિંદુ ધર્મને પવિત્રરાહે લઈ જવા જીવનમાં,પવિત્રકૃપાથી માતાજી જન્મ લઈ જાય
પવિત્ર માતાએ લીધેલ દેહથી કૃપા મળતા,સમયે ભક્તિથી રાસગરબા રમી જાય
કૃપાથી માતાનો પ્રેમ મળે જીવનમાં,જે આશાઅપેક્ષા અને મોહથી બચાવી જાય
....એજ માતા અંબાની પવિત્રકૃપા,જે કરેલ ભક્તિ પારખી આરાસુરથી આવી જાય.
==================================================================
####### જય અંબે માતા ###### જય અંબે માતા ##### જય અંબે માતા #####
==================================================================
July 8th 2021

પવિત્રકૃપાળુ સાંઇ

.**ஸ்ரீ சாய் சத்சரிதம் - Google Play પર ઍપ્લિકેશનો**

.        .પવિત્રકૃપાળુ સાંઇ

તાઃ૮/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ          

પવિત્રભક્તિની પ્રેરણા શંકરભગવાને કરી,જે શ્રીસાંઇને શેરડી લાવી જાય
માનવદેહને આંગળી ચીંધી પવિત્રધર્મની,જે શ્રધ્ધાસબુરીથી જીવનેસમજાય
...અવનીપર ધર્મએ સમયનીસાંકળછે,જે નિખાલસ ભાવનાથી જન્મ મળતા દેખાય.
પવિત્ર પુજ્ય સાંઇબાબાએ પ્રેરણાકરી,ના હિંદુમુસ્લીમને ધર્મથી દુર રહેવાય
અવનીપર અનેકદેહથી જન્મમળે જીવને,સમયસાથે ચાલતા પ્રભુનીકૃપા થાય 
સાંઇબાબા એ સમયે શેરડીઆવ્યા,જ્યાં દ્વારકામાઈની પવિત્રકૃપા મળીજાય 
મળેલદેહને આંગળી ચીંધી બાબાએ,જે જન્મમળતા પાવનરાહે જીવનજીવાય
...અવનીપર ધર્મએ સમયનીસાંકળછે,જે નિખાલસ ભાવનાથી જન્મ મળતા દેખાય.
અનેકદેહથી જીવનુ આગમન થાય,પણ મળેલમાનવદેહ એપ્રભુની કૃપા કહેવાય
જીવનેસંબંધ પ્રાણીપશુજાનવરપક્ષી,અંતે માનવદેહ એગતજન્મનાકર્મથી મેળવાય
પરમાત્મા એ લીધેલદેહ ભારતની ધરતીપર,શ્રી ભોલેનાથએ પ્રભુનીકૃપા કહેવાય 
સાંઇબાબાએ ભોલેનાથનીજ કૃપા,જે ૐ શ્રી સાંઇનાથાય નમઃથીજ પુંજા કરાય
...અવનીપર ધર્મએ સમયનીસાંકળછે,જે નિખાલસ ભાવનાથી જન્મ મળતા દેખાય.
#################################################################