જગદંબા માં અંબિકા
######
. .જગદંબા માં અંબિકા તાઃ૮/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રશ્રધ્ધાથી માતાનીપુંજા કરતા,આરાસુરથી માતા અંબાજી આવી જાય જય અંબે માતાના સ્મરણ કરતા ભક્તોને,પવિત્રકૃપાનો અનુભવ થઈ જાય ....એજ માતા અંબાની પવિત્રકૃપા,જે કરેલ ભક્તિ પારખી આરાસુરથી આવી જાય. શ્રધ્ધાભાવનાથી ઘરમાં પુંજન કરીને,માતાને ધુપદીપ કરીને વંદન પણ કરાય શ્રી અંબે શરણં મમઃથી પ્રાથનાકરી,જયઅંબેમા જયઅંબેમાની માળા જપાય પવિત્ર પુજ્ય માતાની કૃપા ભક્તો પર થતા,જીવનમાં કૃપાનો અનુભવ થાય શ્રધ્ધા રાખીને જીવનમાં સમયે માતાને વંદન કરતા,માતાનો પ્રેમ મળી જાય ....એજ માતા અંબાની પવિત્રકૃપા,જે કરેલ ભક્તિ પારખી આરાસુરથી આવી જાય. પવિત્રદેહ લીધા છે પરમાત્માએ ભારત દેશમાં,જ્યાં ભગવાનની પવિત્રકૃપા થાય હિંદુ ધર્મને પવિત્રરાહે લઈ જવા જીવનમાં,પવિત્રકૃપાથી માતાજી જન્મ લઈ જાય પવિત્ર માતાએ લીધેલ દેહથી કૃપા મળતા,સમયે ભક્તિથી રાસગરબા રમી જાય કૃપાથી માતાનો પ્રેમ મળે જીવનમાં,જે આશાઅપેક્ષા અને મોહથી બચાવી જાય ....એજ માતા અંબાની પવિત્રકૃપા,જે કરેલ ભક્તિ પારખી આરાસુરથી આવી જાય. ================================================================== ####### જય અંબે માતા ###### જય અંબે માતા ##### જય અંબે માતા ##### ==================================================================